- text
સરપંચ પરિષદ ગુજરાતના નેજા હેઠળ મોરબી જિલ્લાના સરપંચોએ ડીડીઓને આવેદનપત્ર પાઠવ્યું
મોરબી : રાજકીય કિન્નાખોરીને કારણે મોરબી જિલ્લામાં સરપંચો વિરુદ્ધ ખોટી ફરિયાદો કરવામાં આવતી હોય આવી ખોટી ફરિયાદો કરનાર તત્વો વિરુદ્ધ કડક પગલા ભરવાની માંગ સાથે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
મોરબી જિલ્લા સરપંચ પરિષદ પ્રમુખ નરેન્દ્રસિંહ પી. જાડેજાના જણાવ્યા મુજબ મોરબી જિલ્લામાં સરપંચો વિરુદ્ધ કરવામાં આવતી ખોટી ફરિયાદ મામલે ખોટી ફરીયાદ કરનાર તત્વો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની સાથે સીસી રોડના કામમાં નવા એસઓઆર મંજુર કરવા માટે માંગ કરવામાં આવી હતી.
- text
- text