પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ મોરબીમાં વિવિધ કાર્યક્રમોમાં આપી હાજરી 

- text


ખોખરા હનુમાન મંદિરે વ્યાસપીઠ પૂજન કર્યું, શોભેશ્વર મહાદેવના કર્યા દર્શન વિવિધ રાજકીય કાર્યક્રમોમાં પણ આપી હાજરી

મોરબી : ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને મોરબી-માળિયાના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ તાજેતરમાં મોરબીમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.

બ્રિજેશ મેરજાએ ખોખરા હનુમાનજી હરિધામ ખાતે પ્રખ્યાત કથાકાર કંકેશ્વરી દેવીજીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા સદ્દગુરુ સારસ્વત સમારોહની પૂર્ણાહુતિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વ્યાસપીઠનું પૂજન કર્યું હતું. આ તકે કંકેશ્વરી દેવીજી સાથે સંસ્કૃત પાઠશાળા તેમજ સંસ્થામાં ચાલતી અનેક ધાર્મિક પ્રવૃતિઓ બાબતે ચર્ચા કરી હતી તેમજ સારસ્વતોના પ્રવચનમાં ભાગ લીધો હતો. આ તકે જિલ્લા પંચાયતના સભ્ય અજય લોરીયા સહિતના સ્થાનિક કાર્યકરો જોડાયા હતા.

- text

ત્યારબાદ કબીરધામ ખાતે આગામી ૩૦ સપ્ટેમ્બરે મોરારી બાપુની રામ કથાના થનાર પ્રારંભ અન્વયે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના કાર્યાલયે રાખેલી આયોજકો અને સ્વયં સેવકોની બેઠકમાં પણ જોડાઈને પોથી યાત્રાના સુચારું આયોજન અંગે દિશા નિર્દેશ કર્યો હતો. જેમાં વિશાલ ઘોડાસરા, રવિ સનાળિયા વગેરે સાથે પરામર્શ કર્યો હતો. અયોધ્યાપૂરી રોડ ઉપર જલારામ મંદિર સામે આવેલ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાના જનસંપર્ક કાર્યાલયે ઉપસ્થિત અગ્રણીઓ રુચિર કારીયા સહિતનાઓ સાથે વિચાર વિમર્શ કર્યો હતો. શનાળા રોડ પર આવેલા જિલ્લા ભાજપના કાર્યાલય ખાતે પ્રમુખ રણછોડભાઈ દલવાડી તથા મહામંત્રીઓ સાથે જિલ્લા પંચાયતના સભ્યોને પક્ષની વ્હીપ આપવાની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જિલ્લા પંચાયત ખાતે પક્ષના સત્તાવાર જાહેર થયેલા પ્રમુખ પદના ઉમેદવાર હંસાબેન જેઠાભાઇ પારઘી તેમજ ઉપપ્રમુખ પદના ઉમેદવાર હીરાભાઈ ટમારીયાના નોમિનેશન વખતે અન્ય આગેવાનો સાથે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જિલ્લા પંચાયતના કારોબારીના અધ્યક્ષ તરીકે સત્તાવાર જાહેર થયેલા પ્રવીણભાઈ સોનગ્રાને રૂબરૂ અભિનંદન પાઠવ્યા હતા. શ્રાવણ માસના ધાર્મિક પર્વે ખ્યાતનામ શોભેશ્વર મંદિરમાં રખાયેલ ભંડારા અને સમૂહ ભોજનમાં ઉપસ્થિત રહી પૂજા અર્ચન કર્યા હતા. શોભેશ્વર મંદિરના મહંત અગ્રણીઓ મનુભાઈ, સુરેશભાઈ, ગિરિરાજસિંહ તેમજ બળવંત સનાળિયાની સાથે સમૂહ ભોજનનો પ્રસાદ આરોગ્યો હતો. આમ બ્રિજેશ મેરજાએ મોરબીમાં સતત સક્રિય લોક સંપર્ક જાળવી રાખ્યો છે.

- text