મોરબીના નારણકા ગામે જન્માષ્ટમીએ શોભાયાત્રા અને મટકીફોડ કાર્યક્રમ યોજાશે

- text


મોરબી : કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી મોરબી જિલ્લામાં ઉલ્લાસભેર થવાની છે ત્યારે મોરબીના નારણકા ગામે નારણકા યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

તારીખ 7 સપ્ટેમ્બર ને ગુરૂવારના રોજ નારણકા ગામે કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં સવારે 8 કલાકે શોભાયાત્રા તથા મટકી ફોડ કાર્યક્રમ રામજી મંદિર ખાતે રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં પધારવા સર્વે ધર્મપ્રેમી જનતાને નારણકા યુવા ગ્રુપ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text