- text
મોરબી : કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી મોરબી જિલ્લામાં ઉલ્લાસભેર થવાની છે ત્યારે મોરબીના નારણકા ગામે નારણકા યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
તારીખ 7 સપ્ટેમ્બર ને ગુરૂવારના રોજ નારણકા ગામે કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં સવારે 8 કલાકે શોભાયાત્રા તથા મટકી ફોડ કાર્યક્રમ રામજી મંદિર ખાતે રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં પધારવા સર્વે ધર્મપ્રેમી જનતાને નારણકા યુવા ગ્રુપ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
- text
- text