હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને NIMA દ્વારા કાલે બુધવારે અગ્નિકર્મ કેમ્પ યોજાશે

- text


દર બુધવારે ફ્રી યોગા ફોર પ્રેગ્નન્ટ વુમન અને ગર્ભ સંસ્કાર સેમીનારનું પણ આયોજન

મોરબી : સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને N.I.M.A. મોરબી દ્વારા મોરબીમાં ફરી એક નિઃશુલ્ક અગ્નિકર્મ કેમ્પનું 23 ઓગસ્ટના રોજ આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં ડૉ. પરેશ ડી. ડાભી સેવા આપશે. કેમ્પનું સ્થળ “રૂદ્ર આયુર્વેદ & જનરલ હોસ્પિટલ, શિવ-શક્તિ પ્લાઝા, નાની કેનાલ ચોકડી, પંચાસર રોડ છે.

રજીસ્ટ્રેશન ફ્રી અને ફરજીયાત છે. 92288 00108 પર વોટ્સએપ મેસેજ કરીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. કેમ્પમાં વધુમાં વધુ લોકો લાભ લે તેવી સાગરભાઈ રવિચંદ જેસ્વાણી – ટ્રસ્ટી, હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવે છે. અગ્નિકર્મમાં સોનુ, ચાંદી, વિગેરે પંચધાતુ ની શલાકાને અગ્નિતપ્ત કરી દુઃખાવાની જગ્યાએ સ્પર્શ કરાવવામાં આવે છે.જેમાં ઢીંચણ, ગરદન, કમર, ઍડીના દુઃખાવા, સ્નાયુના દુ:ખાવા, ગાદી-નસ ના દુઃખાવા, ફ્રોઝન શોલ્ડર, ટેનિસ એલ્બો, માઈગ્રેન, સાયટીકા વિગેરે દુઃખાવામાં આરામ મળે છે.

આ ઉપરાંત ડૉ. હર્ષાબેન મોર દ્વારા મોરબીમાં સાપ્તાહિક ફ્રી યોગા ફોર પ્રેગ્નન્ટ વુમન અને ગર્ભ સંસ્કાર સેમીનારનું આયોજન કરવામાં આવેલ છે.ડૉ. હર્ષાબેન મોર સદભાવના હોસ્પિટલનાં સિનિયર ડોક્ટર છે. ગર્ભસંસ્કાર અને યોગનું ઉત્તમ જ્ઞાન ધરાવે છે. આ પ્રકારના ઘણા સેમીનારમાં સેવા આપી ચુક્યા છે. દર બુધવારે યોજાનાર ફ્રી સેમીનાર માટે રજીસ્ટ્રેશન ફરજીયાત છે. રજીસ્ટ્રેશન માટે ડૉ. હાર્દિક જેસ્વાણી (મહેશ્વરી હોસ્પિટલ, સાવસર પ્લોટ,મોરબી) ના નંબર – 92288 00108 પર ફક્ત વોટ્સએપ મેસેજ કરવો.

- text

હવેથી દર બુધવારના યોજાનાર આ નિઃશુલ્ક સેમિનાર કેમ્પમાં વધુમાં વધુ મહિલાઓ લાભ લે તેવી સાગર રવિચંદ જેસ્વાણી – ટ્રસ્ટી, હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવે છે.

- text