અમુલ અને કોકાકોલાની એજન્સીમાં ખોટ જતા વેપારીનો આપઘાત 

- text


વાંકાનેર શહેરમાં વૃંદાવન સોસાયટીમાં રહેતા વેપારીએ મચ્છુ નદીમાં કૂદી જીવ દીધો 

વાંકાનેર : વાંકાનેર શહેરની વૃંદાવન સોસાયટીમાં રહેતા મોઢ વણિક વેપારીને કોકાકોલા અને અમુલની એજન્સીના ધંધામાં ખોટ જતા આર્થિક સંકળામણથી કંટાળી રાતીદેવડી નજીક મચ્છુ નદીમાં ઝંપલાવી આપઘાત કરી લેતા ચકચાર જાગી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર શહેરમાં જડેશ્વર રોડ ઉપર વૃંદાવન વાટિકા સોસાયટીમાં રહેતા અને હિન્દુસ્તાન કોકાકોલાની થમ્સઅપની તેમજ અમુલની એજન્સી ધરાવતા રાજેશભાઈ ધીરજલાલ મણીયાર ઉ.48 નામના વેપારીને ધંધામા ખોટ જતા આર્થિક સંકડામણથી કંટાળી જઈ પોતાની જાતે રાતીદેવળી ગામની સીમમાં મચ્છુ નદીના પુલ પરથી મચ્છુ નદીમા ઝંપલાવી આપઘાત કરી લેતા પાણીમા ડુબી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text