મોરબીના છેવાડાના વિસ્તારમાં એ ડિવિઝન દ્વારા લોક દરબાર યોજાયો

- text


મોરબી : મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલ વોર્ડ નંબર 11ના છેવાડાના વિસ્તારમાં આજે સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એ ડિવિઝન પીઆઇ હુકુમતસિંહ જાડેજાનું સામાજિક કાર્યકર અબ્દુલ બુખારીએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. તેમજ સંજય વાઘેલાએ ડો. બાબા સાહેબ આંબેડકરનું પુસ્તક ભેટમાં આપ્યું હતું. આ તકે ડિવિઝન પીઆઇ હુકુમતસિંહ જાડેજાએ સ્થાનિક રહીશોને કોઈપણ જાતની તકલીફ હોય તેમજ તમામ પ્રકારના ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોય તો જાણ કરવા અને પોલીસ તરત કાર્યવાહી કરશે તેવી ખાતરી આપી હતી.

- text

- text