વેણાસર ગામે સ્વર્ગસ્થના સ્મરણાર્થે પરિવાર દ્વારા વૃક્ષારોપણ અને ચકલીના માળાનું વિતરણ કરાયુ

- text


માળીયા (મી.) : તાલુકાના વેણાસર ગામે સ્વ. નરેશબાઈ લાખાભાઈ ડાંગરના સ્મરણાર્થે ડાંગર પરિવાર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ અને ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સ્વર્ગસ્થ નરેશભાઈ ડાંગરના સ્મરણાર્થે તેઓના પરિવારના કનુભાઈ ડાંગર દ્વારા આશરે 500 જેટલા વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ 200 જેટલા ચકલીના માળાનું વિતરણ પણ કરાયું હતું. આ કાર્યક્રમમાં પર્યાવરણ પ્રેમી વી.ડી. બાલા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વેણાસર ગામના સરપંચ અરજણભાઈ તેમજ અન્ય આગેવાનોએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને આશરે 500 જેટલા છોડવાનું વિતરણ કરી સમાજને એક સંદેશો પૂરો પાડ્યો હતો.

- text

- text