મોરબીમાં સ્વ. ગાયક મહમદ રફીના ગીતોના કાર્યક્રમનું આયોજન

- text


મોરબી : મોરબીમાં સ્વ. ગાયક કલાકાર મહમદ રફીની યાદમાં તેમના અતિ ચાહક ડો. બી. કે. લહેરૂ દ્વારા તા. 31 જુલાઈને સોમવારે સાંજના 5 થી રાત્રીના 11 વાગ્યા સુધી મહાવીર સોસાયટીનું સાર્વજનિક ગ્રાઉન્ડ, શનાળા રોડ ખાતે રફીના ગીતો ગાવાનો ઓરકેસ્ટ્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં સમાજના વિવિધ સ્તરના સંગીત પ્રેમીઓ કે જે સ્વ.રફી સાહેબના જ ગીત ગાવા માંગતા હોય તથા અન્ય કોઈ પાંચ મીનીટ માટે સ્પીચ આપવા માંગતા હોય તે પોતાની સંગીત પ્રત્યેની કલા પ્રસ્તુત કરી શકશે. આ કાર્યક્રમ અંગેની વધુ માહિતી મેળવવા માંગતા હોય તેઓ 9913222283, 9909081811 પર સંપર્ક કરી શકશે. મોરબી તેમજ આસપાસની જનતા કે જે રફી સાહેબના ગીતોના ચાહકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ડો. બી. કે. લહેરૂએ નિમંત્રણ પાઠવ્યું છે.

- text

- text