- text
મોરબી : મોરબીમાં પૂર્ણ પુરષોત્તમ અધિકમાસ નિમિત્તે તા. 10 થી 16 ઓગસ્ટના શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના યજમાન તરીકે હીનાબેન દિલીપભાઈ મહેતા તથા દિલીપભાઈ અમૃતભાઈ મહેતા તેમજ સમસ્ત મહેતા પરિવાર રહેશે. જે નિમિત્તે કથા પ્રવક્તા શાસ્ત્રીજી નિખીલભાઈ જોષી રાધે કૃષ્ણ મોરબીવાળા દ્વારા કથાનું શ્રીફળ સ્વીકારવામાં આવ્યું હતું.
- text
- text