મોરબી સ્કાય મલ્ટીપ્લેક્ષમાં જાગરણ નિમિત્તે સ્પેશિયલ શો 

- text


મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલા સ્કાય મલ્ટીપ્લેક્ષ ખાતે તા. ૫ જુલાઈને બુધવારે જયા પાર્વતીના જાગરણ નિમિત્તે સ્પેશિયલ શો રાખવામાં આવ્યા છે.

કુંવારી યુવતીઓ મનવાંછિત પતિ મેળવવા માટે જયા પાર્વતીનું વ્રત કરતી હોય છે. જેમાં પાંચ દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે અને છેલ્લા દિવસે એટલે કે પાંચમાં દિવસના આખી રાતનું જાગરણ કરવામાં આવે છે ત્યારે આજે જયા પાર્વતીના વ્રતના પાંચમા દિવસે જાગરણ નિમિત્તે મોરબી શહેરમાં આવેલા સ્કાય મલ્ટીપ્લેક્ષ ખાતે ફિલ્મોના સ્પેશિયલ શો રાખવામાં આવ્યા છે. જેમાં સત્ય પ્રેમ કી કથા, ઝરા હટકે ઝરા બચકે, બુશર્ટ ટી-શર્ટ ગુજરાતી ફિલ્મ, આદિપુરુષ-2D હિન્દી જેવી ફિલ્મો જોવા મળશે. જાગરણ નિમિત્તે મોરબીની જનતાને લાભ લેવા જણાવાયું છે.

- text

- text