વાંકાનેરમાં સગીરાનું અપહરણ કરનાર શખ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની માંગ

- text


વાંકાનેર : વાંકાનેરમાં હિન્દુ સગીરાનું ગોલો ખવડાવવાના બહાને અપહરણ કરીને અડપલાં કરનાર પરણિત શખ્સ સામે કડક કાર્યવાહી કરવા માટે હિન્દુ સંગઠનોએ માંગ કરી વાંકાનેર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે.

મોરબી હિન્દુ યુવા વાહિની ગૌરક્ષક- વાંકાનેર અને અલગ – અલગ હિન્દુ સંગઠનો દ્વારા વાંકાનેર મામલતદારને આવેદનપત્ર આપીને હિન્દુ સગીરાનું અપહરણ કરનાર શખ્સને કાયદાનું ભાન કરાવવામાં આવે જેથી દીકરીઓ સાથે બનતા આવા કિસ્સા બંધ થાય તેવી માંગ કરી છે. મોરબી હિન્દુ યુવા વાહિનીના અધ્યક્ષ કે.બી. બોરીચાએ જણાવ્યું હતું કે, મુસ્લિમ શખ્સ દ્વારા હિન્દુ સગીરાનું અપહરણ કરીને માર્કેટિંગ યાર્ડની બાજુમાં અવાવરું જગ્યાએ લઈ ગયો હતો જ્યાં હાથ પકડવા, નમાજ પઢાવવા સહિતની ચેષ્ટાઓ કરી હતી અને સગીરાના અડપલા કર્યા હતા. આથી આ શખ્સને કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

- text

- text