આવતીકાલે મોરબીમાં સ્વર્ગસ્થના સ્મરણાર્થે રક્તદાન કેમ્પનું આયોજન

- text


મોરબી : મોરબીમાં સ્વ. કાર્તિક વિક્રમભાઈ દફતરીના સ્મરણાર્થે તા.18 જૂનના રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

લાયન્સ ક્લબ ઓફ મોરબી- નઝરબાગ તેમજ જૈન સોશ્યલ ગૃપ દ્વારા સ્વ. કાર્તિક વિક્રમભાઈ દફતરીના સ્મરણાર્થે તા. 18 જૂનને રવિવારે સવારે 8 થી બપોરના 4 વાગ્યા સુધી સ્કાય મોલ, શનાળા રોડ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા વિક્રમભાઈ દફતરી, રાજેશભાઈ સરડવા, તુષારભાઈ દફતરી, હિતેષભાઈ મહેતા, વિક્રમભાઈ મહેતા, ડેનિશ દફતરી સહીતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

- text

- text