- text
મોરબીઃ મોરબીના સમાજસેવી સંજયભાઈ મહિપલાત શેઠે સ્થળાંતરિતોને ગરમાગરમ ભોજન જમાડીને જઠરાગ્નિ ઠારવાનું ઉત્તમ કાર્ય કર્યું છે.
મોરબી વિસ્તારમાં બિપોરજોય વાવાઝોડાના કારણે અનેક લોકોને સ્થળાંતરિત કરીને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. આજે વરસાદ પણ પડ્યો હતો ત્યારે આ પરિસ્થિતિમાં માનવ સેવા એજ પ્રભુસેવા સમજીને સવારે 7-30 વાગ્યે સંજયભાઈ શેઠ દ્વારા ગરમા ગરમ મસાલેદાર વઘારેલા ભાતની રસોઈ બનાવવામાં આવી હતી. આ ગરમાગરમ ભાતને સ્થળાંતરિત લોકો સુધી પહોંચાડવામાં આવ્યા હતા અને લોકોને ભોજન કરાવ્યું હતું. આ વિકટ પરિસ્થિતિમાં પણ સંજયભાઈ શેઠે પોતાની ફરજ નિભાવી હતી ત્યારે ભોજન કરનાર દરેક લોકોએ પણ સંજયભાઈ શેઠની આ સેવાની બિરદાવી હતી.
- text
- text