10 જૂને હળવદની મયુરનગર શાળામાં પારિતોષિક વિતરણ સમારંભ યોજાશે

- text


હળવદ : હળવદ તાલુકાની મયુરનગર પે સેન્ટર શાળામાં આગામી તારીખ 10 જૂન ને શનિવારના રોજ સવારે 8 કલાકે પારિતોષિક વિતરણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે.

ત્રિભોવનદાસ ત્રિકમજીભાઈ જોબનપુત્રા અને સ્વ. બચુબેન ત્રિભોવનદાસ જોબનપુત્રા પરિવાર દ્વારા મયુરનગર પે. સેન્ટર શાળા ખાતે 10 જૂને મયુરનગર, ચાડધ્રા અને રાયસંગપુર ગામના ધોરણ 1 થી 12ના પ્રથમ ત્રણ નંબરના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે પારિતોષિક વિતરણ સમારંભનું આયોજન કરાયું છે. આ ઉપરાંત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લીધેલી એનએમએમએસની પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ, એસએસઈની પરીક્ષામાં પાસ થયેલ વિદ્યાર્થીઓનું તથા એસએસસી બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષામાં હળવદ તાલુકામાં પ્રથમ, મોરબી જિલ્લામાં દ્વિતિય અને રાજ્યમાં તૃતિય નંબર મેળવેલ વિદ્યાર્થિનીનું સન્માન પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પ્રાકૃતિક કૃષિ-વ-સેન્દ્રીય વિશ્વ વિદ્યાલય હાલોલના વાઈસ ચાન્સેલર ડો. સી.કે. ટીંબડીયા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત વિવિધ અધિકારીઓ અને મહેમાનો હાજરી આપશે. કાર્યક્રમ પૂર્ણ થયે બપોરે 12 કલાકે ભોજન સમારંભનું પણ આયોજન કરાયું છે.

- text

- text