મોરબીમાં દોઢ વર્ષની બાળકીના અપહરણ કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

- text


મોરબી : મોરબીના લખધીરપુર રોડ ઉપર સોરીસો સિરામીક કારખાનામાંથી દોઢ વર્ષની બાળકીના અપહરણ કેસના આરોપીને કોર્ટે નિર્દોષ છોડી મુક્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ૧૮/૦૭/૨૦૨૧ ના રોજ કામ કરતાં શ્રમિક પરિવારની દોઢ વર્ષની દીકરીને મનોજ ટેટીયા નામનો આરોપી અપહરણ કરી લઈ ગયાની ફરીયાદ મોરબી તાલુકામાં નોંધાઇ હતી. પોલીસે આરોપીને બાળકી સાથે પકડી લીધેલ અને તેમની ચાર્જશીટ રજુ કરેલ અને આઈ.પી.સી. કલમ ૩૬૩ મુજબનો ગુન્હો નોંધી પોલીસે ચાર્જશીટ રજુ કરેલ જેના અનુસંધાને નામ. કોર્ટે આરોપીને નિર્દોષ છોડી દેવાનો હુકમ ફરમાવેલ છે.આરોપીના વકીલ તરીકે મોનીકાબેન એન. સાંગાણી રોકાયેલ હતા.

- text

- text