હળવદ માર્કેટિંગ યાર્ડના શેષ કૌભાંડમાં સાત આરોપીઓની ધરપકડ 

- text


એસીબી ટીમે વર્ષ 2015ના ચકચારી કેસમાં શેષ ઉઘરાવીને ચાઉ કરી જવા મામલે પૂર્વ સેક્રેટરી સહિત તમામ આરોપીઓને દબોચ્યા  

હળવદ : હળવદ માર્કેટિંગ યાર્ડમાં વર્ષ 2015માં શેષ ઉઘરાવી બારોબાર ચાઉ કરી જવા પ્રકરણમાં તત્કાલીન સેક્રેટરી સહિતની આખી બોડી સામે એસીબીએ ગુનો દાખલ કર્યા બાદ આજે તમામ આરોપીઓની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ માર્કેટીંગ યાર્ડમાં ૧૩/૦૨/૧૫ થી તા.૨૬/૦૩/૧૫ દરમ્યાન ડુપ્લીકેટ પહોચ મારફતે માર્કેટ ફી એટલે કે શેષ ઉઘરાવી ખોટા દસ્તાવેજ બનાવી પોતાની સત્તાનો તથા પોતાના રાજય સેવકના હોદાનો દુરઉપયોગ કરવામાં આવ્યો હતો. તેઓએ પુર્વનિયોજીત ગુન્હાહીત કાવતરૂ રચી એકબીજાના મેળાપીપણામાં રહી ગેરકાયદેસર રીતે રૂ.૨૩,૧૯,૭૫૪/- ની માર્કેટીંગ શેષ ઉઘરાવી માર્કેટીંગ યાર્ડમાં જમા નહી કરાવી પોતાના અંગત લાભ મેળવ્યો હોય એસીબી દ્વારા ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.

- text

આ કેસમાં એસીબીએ વિપુલભાઇ અરવિદભાઇ એરવાડીયા (સેક્રેટરી), અશોકભાઇ જયંતીભાઇ માતરીયા (વાઇસ સેક્રેટરી), હિતેષભાઇ કાળુભાઇ પંચાસરા (પંચારા) (કલાર્ક), નિલેષભાઇ વિનોદભાઇ દવે (કલાર્ક), પંકજભાઇ કાનજીભાઇ ગોપાણી (કલાર્ક), ભાવેશભાઇ રમેશભાઇ દલસાણીયા (કલાર્ક), અરવિંદભાઇ ભગવાનજીભાઇ રાઠોડ (કલાર્ક) સામે એસીબીએ ગુનો દાખલ કર્યા બાદ તમામ આરોપીઓની ધરપકડ કરતા સહકારી ક્ષેત્રે ચકચાર મચી જવા પામી છે.

- text