ઝઘડાના સમાધાનમાં ગયેલા યુવાનને ચાર શખ્સોએ ઢીબી નાખ્યો 

- text


મોરબી : મોરબીની પંચાસર ચોકડી નજીક પિતરાઈ ભાઈના જુના ઝઘડાના સમાધાન માટે ગયેલા નાગલપર ગામના યુવાનને અમરાપર ગામના ચાર શખ્સોએ માર મારતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના નાગલપર ગામે રહેતા મોહનભાઈ પ્રેમજીભાઈ મકવાણા ઉ.27 નામનો યુવાન પોતાના પિતરાઈ ભાઈના જુના ઝઘડામાં પંચાસર ચોકડી નજીક આવેલી ડિલક્સ પાનની દુકાને જતા અમરાપર ગામે રહેતા આરોપી વિશાલભાઈ બટુકભાઈ ઉંચાણા, અતુલભાઈ બટુકભાઈ ઉંચાણા, સતિષભાઈ બટુકભાઈ ઉંચાણા અને દીલીપભાઈ બાબુભાઈ કોરડીયાએ પેટ અને પીઠના ભાગે લાતો મારી જાનથી મારી નાખવા ધમકી આપતા ચારેય આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- text

- text