હળવદના કવાડીયામાં 6 એપ્રિલે સંત વેલનાથ બાપુના મંદિરનું ખાતમુહૂર્ત

- text


હળવદ : હળવદના કવાડીયા ગામે આગામી 6 એપ્રિલના રોજ વેલનાથ જયંતીના પાવન અવસરે સંત વેલનાથ બાપુના ભવ્ય મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે.

આ કાર્યક્રમનું સંત વેલનાથ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ ઠાકોર સમાજ વાડી ખાતે સવારે 10 કલાકે શરૂ થશે. આ સાથે પ્રસાદની પણ વ્યવસ્થા રાખેલ છે. કાર્યક્રમ વેળાએ મંદિર નિર્માણ માટે ભાવિકો અનુદાન પણ આપી શકશે. આ કાર્યક્રમમાં પધારવા ટ્રસ્ટના પ્રમુખ યશપાલ રતુભાઈ ચારોલા અને ઉપપ્રમુખ પ્રવીણભાઈ ભાવાભાઈ ચારોલાએ નિમંત્રણ પાઠવ્યું છે.

- text

- text