વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામે કૂવો ગાળતી વખતે ભેખડ ધસી પડતા ત્રણના મોત

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામે કૂવો ગાળતી વખતે અચાનક ભેખડ ધસી પડતા ત્રણ શ્રમિકના મૃત્યુ નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના સાંજના સમયે બની હોવાનું અને ત્રણેય મૃતકો કોટડા નાયાણી ગામના જ હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. વધુમાં આ બનાવમાં મનસુખભાઇ પોપટભાઈ સોલંકી ઉ.44 અને નાગજીભાઈ સોમાભાઈ સીતાપરા ઉ.45ના મૃત્યુ નિપજ્યા હતા. અને ત્રીજા શ્રમિક વ્યક્તિને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યા તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text

વધુમાં રાજકોટ રીફર કરાયેલા શ્રમિકવિનુભાઇ બચુભાઈ ગોરીયાનું પણ મૃત્યુ નીપજ્યું હોવાનું અને જે વાડીમાં કૂવો ગણવામાં આવતો હતો તે વાડીના માલીક ફિરોઝભાઈ હુસેનભાઇ કાતીયરને પણ ઇજાઓ પહોંચી હોવાની વિગતો સામે આવી છે.

- text