- text
મોરબીઃ પાટીદાર સમાજની સંસ્થા સરદારધામના યુવા તેજ મોરબી શહેરના કન્વીનર તરીકે નયનભાઈ ભુદરભાઈ કાવરની નિમણૂક કરવામાં આવી છે.
સરદારધામ ગત તારીખ 24 ફેબ્રુઆરીના રોજ યુવા તેજ મોરબી શહેરના કન્વીનર તરીકે મોરબીના નયનભાઈ કાવરની નિમણૂક કરાઈ છે. તેઓને 15 ડિસેમ્બર 2023 સુધી મોરબી શહેરના કન્વીનર તરીકે નિમણૂક અપાઈ છે. આ સાથે જ સરદારધામના માધ્યમથી સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે, યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટેના અભિયાનમાં સાથે મળી ઉંમગ, ઉત્સાહ અને ઉર્જા સાથે સમાજની વિસ્તૃત, નિઃસ્વાર્થ, પવિત્ર સેવા કરવાની અભ્યર્થના વ્યક્ત કરવામાં આવી છે.
- text
- text