વાંકાનેરની કોલેજમાં 3D પ્રિન્ટર બાંધણીની બનાવટ તથા રોકેટ સાયન્સનો કાર્યક્રમ યોજાયો

- text


 

વિદ્યાર્થિનીઓ દ્વારા મટીરીયલમાંથી જાતે રોકેટ બનાવી રોકેટ સાયન્સની વિસ્તૃત જાણકારી અપાઈ

વાંકાનેર : આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર, મોરબી દ્વારાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ-23ની ઉજવણીનાં ભાગરૂપે એચ એન દોશી આર્ટ્સ એન્ડ આર એન દોશી કોમર્સ કોલેજ વાંકાનેર ખાતે 3 D પ્રિન્ટર બાંધણીની બનાવટ તથા રોકેટ સાયન્સના પ્રોજેકટનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ-23નાં અનુસંધાને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્રારા સંચાલિત આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્રારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ-23 મુખ્ય વિષય વૈશ્વિક સુખાકારી માટે વૈશ્વિક વિજ્ઞાનની ઉજવણી કરી રહ્યુ છે. જેમાં એચ એન દોશી આર્ટ્સ એન્ડ આર એન દોશી કોમર્સ કોલેજ વાંકાનેર વિદ્યાર્થી માટે ફાળવેલ ઇનોવેશન કિટ જે અંતર્ગત 3 D પ્રિન્ટર, બાંધણીની બનાવટ તથા રોકેટ સાયન્સ,ની વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપી અને વિદ્યાર્થીઓ આત્મનિર્ભર બને તેવું સ્વપ્ન જોનાર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સપનાને સાર્થક કરે તે હેતુથી વૈશ્વિક સુખાકારી માટે વૈશ્વિક વિજ્ઞાન 3 D પ્રિન્ટર અને બાંધણીની બનાવટ, રોકેટ સાયન્સ જેમાં વિદ્યાર્થિનીઓ દ્વારા આપવામાં આવેલા મટીરીયલમાંથી જાતે રોકેટ બનાવી રોકેટ સાયન્સની વિસ્તૃત જાણકારી આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીના કો ઓર્ડીનેટર દિપેનભાઈ ભટ્ટ દ્વારા આપવામાં આવી હતી.

- text

દેશના વડાપ્રધાન દ્રારા દેશમાં મહિલાઓમાં છુપાયેલી સુષુપ્ત શક્તિઓ ઉજાગર કરવા માટે આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા વિદ્યાર્થિનીઓને વિવિધ બાંધણીની ડિઝાઇન કઈ રીતે બનાવવામા આવે છે તેની વિસ્તૃત માહિતી આપી તેમજ વિદ્યાર્થિનીઓને જાતે બનાવવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું તેમજ એચ એન દોશી આર્ટ્સ એન્ડ આર એન દોશી કોમર્સ કોલેજ વાંકાનેરના પ્રિન્સીપાલ ડૉ વાય.અમે.ચુડાસમા ઇનોવેશન ક્લબના કો ઓર્ડીનેટર ડૉ એમ એસ જાની તથા તમામ કોલેજના તમામ સ્ટાફ દ્વારા સહકાર આપવામાં આવ્યો હતો. કોલેજમાં કાર્યક્રમ રાખવા બદલ આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text