મોરબીમાં ઘોડાના તબેલામાં યુવાનને રહેંસી નખાયાનું ખુલ્યું

- text


પ્રેમ સંબંધની જાણ થતા યુવતીના ભાઈએ ગળેટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધાનું બહાર આવતા હત્યા અંગે ગુન્હો નોંધાયો

મોરબી : ચારેક દિવસ પૂર્વે મોરબીના ભડીયાદ નજીક ઘોડાના તબેલામાંથી યુવાનની લાશ મળવા પ્રકરણમાં હત્યા અંગેનો ગુન્હો નોંધાયો છે, મૃતક યુવાનને યુવતી સાથે પ્રેમસંબંધ હોય યુવતીના ભાઈએ ગળેટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દેતા આ મામલે મૃતકના માતાએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.11 ફેબ્રુઆરીના રોજ મોરબીના ભડીયાદ નજીક જવાહર સોસાયટી મફતિયાપરા વિસ્તારમાં ઘોડાના તબેલામાંથી ચેતન રમેશભાઈ ચાવડા નામના યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી હતી.

- text

દરમિયાન આ મામલે ગઈકાલે મૃતક ચેતનના માતા મધુબેન રમેશભાઈ ચાવડાએ આરોપી મહેશ દેવજી વણોલ વિરુદ્ધ પોતાના પુત્રની હત્યા કરવા અંગે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જાહેર થયા મુજબ મૃતક ચેતનને આરોપી મહેશ દેવજીની બહેન સાથે પ્રેમ સંબંધ હોય આગાઉ ઝઘડો થયો હતો જે બાદ આરોપીએ ચેતનને વાડે નહિ આવવા ધમકી આપી હતી. આમ છતાં ચેતન પોતાના ઘોડાના વાડે જતા આરોપીએ ગળેફાંસો આપી ચેતનની હત્યા કર્યાનું ખુલ્યું છે.

- text