મોરબીના ટીંબડી ગામે રામાનંદીય સાધુ સેવા સમિતિ દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાયો

- text


મોરબી : મોરબીના ટીંબડી ગામે રામાનંદીય સાધુ સેવા સમિતિ દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવમાં પાંચ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.

મોરબીના ટીંબડી ગામે રામાનંદીય સાધુ સેવા સમિતિ દ્વારા પ્રથમ સમૂહલગ્તોસવનું જાજરમાન આયોજન કરાયું હતું. જેમા પાંચ નવયુગલો લગ્નગ્રંથીથી જોડાઈને પ્રભુતામાં પગલા પાડ્યા હતા. આ તકે સમૂહ લગ્નોત્સવમાં મુખ્ય આમંત્રિત મહેમાનોમાં સંતો મહંતો, રાજકીય અગ્રણીઓ, રામાનંદીય સાધુ સેવા સમિતિના અગ્રણી આગેવાનો સહીત રામાનંદીય સમાજના મહેમાનોની ખાસ ઉપસ્થિતમાં ભાગવત આચાર્ય વિદ્વાન શાસ્ત્રી અમિતભાઈ પંડ્યા દ્વારા હિન્દુ રીત રિવાજ અનુસાર શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે લગ્નવિધિ કરાવી ઉપસ્થિત સંતો મહંતોએ અને રાજકીય અગ્રણી આગેવાનો રામાનંદીય સાધુ સેવા સમિતિના આગેવાનોએ તમામ પાંચ નવયુગલોને આર્શિવચન આપ્યા હતા.

આ સમૂહ લગ્નોત્સવમાં લગ્નગ્રંથિથી જોડાયેલ તમામ પાંચ દીકરીઓને ૧૬૦ જેટલી ચીજવસ્તુઓની કરિયાવરમાં ભેટ આપવામાં આવી હતી. રામાનંદીય સમાજના યોજાયેલા પ્રથમ સમૂહલગ્તોસવમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર યુટુયુબ સ્ટાર કૃપાલી અગ્રવાત અને જુનિયર દયાથી ફેમસ કાજલબેન રામાનંદીએ ઉપસ્થિત તમામ લોકોનુ આકર્ષણ જમાવ્યું હતુ. આ તકે મોરબી માળીયા વિસ્તારના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ સમૂહલગ્નથી સમાજને અનેક ફાયદાઓ સાથે સમાજમાં એકતાની બની રહેશે જેમના અન્ન ભેગા તેમના મન ભેગા સમાજની એકતા જ સમૂહલગ્તોસવને સફળ બનાવે છે તેવું જણાવ્યું હતું. જ્યારે અરવિંદભાઈ વાંસદળીયા, રમેશભાઈ વડસોલા(સરપંચ), રમેશભાઈ વડસોલા (પૂર્વ સરપંચ) પંકજભાઈ રાણસરિયા સહિતના રાજકિય આગેવાનો પધાર્યા હતા. સમૂહલગ્ન બાદ સમૂહભોજનનું ઉપસ્થિત તમામ લોકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રામાનંદીય સાધુ સેવા સમિતિ મોરબીની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

- text

- text