- text
જીલ્લા ભાજપ ઉદ્યોગ સેલ અને સીએ સેલ દ્વારા સ્કાય મોલ ખાતે આયોજન
મોરબી : કેન્દ્ર સરકારના બજેટને અનુલક્ષીને સિરામિક ઉદ્યોગ માટે જીલ્લા ભાજપ ઉદ્યોગ સેલ અને સીએ સેલ દ્વારા પ્રભારીમંત્રીની હાજરીમાં સ્કાય મોલ ખાતે એક સેમિનારનું આગામી તા.13-02-2023ના રોજ આયોજન કરાયું છે.
કેન્દ્ર સરકારના અમૃત કાળના કેન્દ્રીય બજેટ 2023-24 અંગે મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફૂલભાઈ પાનસેરીયાની અધ્યક્ષતામા મોરબી સીરામીક ઉદ્યોગ માટે સ્કાય મોલ ખાતે આગામી તા. 13-02-2023ના રોજ સાંજે 4.30 કલાકે સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. આ સેમિનારમાં કચ્છ રાપરના પંકજભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપનાર હોય ઉદ્યોગકારોને સેમિનારમાં હાજર રહેવા અનુરોધ કરાયો છે.
- text
- text