વ્યાજખોરો સામે પોલીસ એક્શનમાં : મોરબી જિલ્લામાં કુલ 39ને પકડ્યા

- text


 

જાન્યુઆરી મહિનામાં લોકદરબારમાં 14 રજૂઆતો સહિત કુલ 21 ફરિયાદો મળતા પોલીસે હાથ ધરી કાર્યવાહી : રાજકોટ રેન્જએ જાહેર કર્યું રિપોર્ટ કાર્ડ

 

મોરબી : રાજ્યભરમાં વ્યાજખોરો સામે ચાલી રહેલી ઝુંબેશમાં મોરબી જિલ્લામાં ૨૧ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે. જેમાં ઊંચું વ્યાજ વસૂલવા ફરિયાદી ઉપર દબાણ કરતા ૩૯ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે.

રાજકોટ રેન્જ દ્વારા જણાવાયું છે કે સામાન્ય નાગરીકોને વ્યાજખોરીના ચુંગલમાંથી મુકિત અપાવવા તેમજ આવી અસમાજીક પ્રવૃતી કરતા વ્યકિતઓ પર કાયદાની લગામ કસવાના ગૃહમંત્રીના આદેશને પગલે સમગ્ર રાજયમાં પોલીસ દ્વારા તા.૦૫થી ૩૧ જાન્યુઆરી સુધી ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી.

આ ડ્રાઇવ દરમ્યાન રાજકોટ રેન્જના તાબાના તમામ જીલ્લાઓમાં પોલીસ અધિક્ષક રેન્કથી લઇ પોલીસ કોન્સટેબલ સુધીની રેન્કના પોલીસ અધિકારી અને કર્મચારીઓને સેન્સેટાઇઝ કરવામાં આવેલ છે. સમગ્ર રેન્જના તાબાના જીલ્લાઓમાં લોકો કાયદાથી અવગત થાય અને તેઓમાં વ્યાજખોરી અંગે જાગૃતી કેળવાય તેમજ વ્યાજખોરી કરતા ઇસમોને કાયદાનો પાઠ ભણાવી શકાય તેવા હેતુને લક્ષ્યમાં રાખી અત્યાર સુધીમાં સમગ્ર રેન્જમાં કુલ – ૬૦૦થી વધુ સ્થળો ઉપર લોકદરબારનુ આયોજન કરવામાં આવેલ છે.

લોક દરબાર દરમ્યાન વ્યાજખોરીની ચુંગલમાં ફસાયેલ લોકોની દેવભુમિ દ્વારકા જીલ્લામાં ૧૩, જામનગર જીલ્લામાં ૨૧, મોરબી જીલ્લામાં ૧૪, રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ૧૩ તથા સુરેન્દ્રનગર જીલ્લામાં ૧૩ મળી કુલ-૭૪ રજુઆતો મળેલ હતી. જે ૭૪ રજુઆતો પૈકી ૪૬ રજુઆતોમાં ત્વરીત ગુનાઓ રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે અને અન્ય ૨૮ રજુઆતોની હાલ તપાસ ચાલુ છે. જેની કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ, રાજકોટના સીધા સુપરવિઝન હેઠળ પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી મારફતે કરવામાં આવી રહેલ છે.

- text

લોકોમાં ગુજરાત મની લેન્ડર્સ એક્ટ 2011 અંગે જાગૃતી કેળવાય, વ્યાજખોરીના ચુંગલમાં ફસાયેલા લોકો હિમતપૂર્વક કાયદાનો આશરો લેવા માટે સામે ખાતે સરળતાથી પોતાની મુશ્કેલીને સમજી તે અંગે ચોકકસ કયાં અને કેવા પ્રકારે રજુઆત કરી શકાય? તેની જાગૃતી કેળવાય અને નિર્ભીક પણે પોતાની ફરીયાદ/રજુઆત કરી શકે તેવુ વાતાવરણ સર્જાય તેવા આશયથી સ્પેશિયલ ડ્રાઇવ દરમ્યાન દેવભુમિ દ્વારકા જીલ્લામાં ૧૪ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે જેમાં કુલ ૨૩ આરોપીઓની – ધરપકડ કરવામાં આવેલ છે જે પૈકી ૧૨ આરોપીઓ હાલે જેલ હવાલે છે. જામનગર જીલ્લામાં ૨૯ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે જેમાં કુલ ૩૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે જે પૈકી ૧૩ આરોપીઓ હાલે જેલ હવાલે છે.

મોરબી જીલ્લામાં ૨૧ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે જેમાં કુલ ૩૯ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે જે પૈકી ૦૩ આરોપીઓ હાલે જેલ હવાલે છે. રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ૨૭ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે જેમાં કુલ ૬૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે જે પૈકી ૧૩ આરોપીઓ હાલે જેલ હવાલે છે. સુરેન્દ્રનગર જીલ્લામાં ૨૧ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે જેમાં કુલ ૩૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે.આમ રાજકોટ રેન્જ જીલ્લાઓમાં કુલ-૧૧૨ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે. જે ગુનાઓમાં સંડોવાયેલ ૧૮૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. જેમાં ૪૧ આરોપીઓ હાલે જેલ હવાલે છે.

વધુમાં રાજકોટ રેન્જ દ્વારા વ્યાજખોરીના ભોગ બનેલા લોકોએ કોઇપણ જાતના ભય વગર પોલીસનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે. વ્યાજખોરી સામે શરૂ કરેલી આ ઝુંબેશને વધુને વધુ અસરકારક બનાવવા માટે તેમજ છેવાડાના ગામો સુધી લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે તમામ જનતાને પોલીસને સહયોગરૂપ થવા પણ અપીલ કરાઈ છે.

- text