હળવદ ખાતે મોરબી જિલ્લા ભાજપની કારોબારી બેઠક યોજાઇ

- text


હળવદ : ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લાની કારોબારી બેઠક હળવદ ખાતે સરસ્વતી શિશુમંદિરમાં સંસ્કૃતિ હોલમાં યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લાના તમામ તાલુકાઓમાંથી અપેક્ષિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.

જિલ્લા ભાજપની કારોબારી બેઠકમાં ભારતમાતા, પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી અને ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જીની છબી સન્મુખ દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરુઆત કરી ઝૂલતા પુલની ઘટના બાદ પ્રથમ કારોબારી બેઠક મળી હોય દુર્ઘટનામાં મૃત્યુ પામેલ તેમજ તાજેતરમાં મૃત્યુ પામેલ કાર્યકર્તાઓના આત્માની શાંતિ અર્થે ૨ મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું. આ તકે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર બાદ હાજર પીઢ અગ્રણીઓએ પ્રસંગોચિત વ્યક્તવ્ય થકી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ બેઠક માં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને વઢવાણનાં પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી, મોરબી જિલ્લા ભાજપ પ્રભારી પ્રકાશભાઈ સોની, ભાનુભાઇ મેતા, પ્રદેશ શિસ્ત સમિતિના સભ્ય બીપીનભાઈ દવે, પ્રદીપભાઈ વાળા, ધારાસભ્ય સર્વ કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી, જયુભા જાડેજા, બાબુભાઈ હુંબલ, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શીહોરા, પૂર્વ મંત્રી બ્રીજેશભાઈ મેરજા, પૂર્વ ધારાસભ્ય પરસોતમભાઈ સાબરિયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ હોદેદારો તમામ તાલુકાના પ્રભારી તેમજ પ્રમુખ મહામંત્રી, વિવિધ મોરચા અને સેલના પ્રમુખ મહામંત્રીઓ, જિલ્લા કારોબારીના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિધાનસભા ચુંટણીમાં જિલ્લાની તમામ સીટો પર ભાજપનો ભગવો લહેરાવવા બદલ તમામ કાર્યકરોને શુભેચ્છા પાઠવી હતી અને સાલ ઓઢાળી સન્માન કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા હળવદ શહેર ભાજપના સૌ કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text

- text