મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા શિક્ષણ કેન્દ્રનો શુભારંભ

- text


 

મોરબી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા મોરબીમાં શિક્ષણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં મોરબી જિલ્લા સંઘ સંચાલક લલિતભાઈ ભાલોડીયા તથા મોરબી જિલ્લા સેવા પ્રમુખ રણછોડભાઈ કૂંડારિયા ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ કેન્દ્રનો મુખ્ય હેતુ બાળકોમાં રાષ્ટ્રભાવનાનું નિર્માણ કરવાનો છે. જેના માટે અહીં દેશભક્તિ ગીત, ચારિત્ર્ય નિર્માણની બાળવાર્તાઓ, રમતો અને સર્જનાત્મક કૃતિઓ જેવી અનેક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.

- text

 

 

- text