ટંકારાના સજ્જનપર ગામે તાલુકા કક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી થશે

- text


ટંકારા : ટંકારા તાલુકાના સજ્જનપર ગામે આગામી 26મી જાન્યુઆરીના રોજ તાલુકા કક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે. સજ્જનપર ગામે મામલતદારના હસ્તે ધ્વજવંદન કરી 74મા ગણતંત્ર દિવસની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે પોલીસ પરેડ, રાષ્ટ્રીય પર્વને અનુલક્ષીને સંબોધન, સાંસ્કૃતિક કાર્યક્રમ અને સન્માન પત્ર એનાયત કરવામાં આવશે.

- text

ટંકારા તાલુકા કક્ષાનો 74 મો ગણતંત્ર દિવસ સજ્જનપર ગામે ઉજવાશે જેમાં ટંકારા મામલતદાર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કેતન સખિયા તિરંગો લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપશે. બાદમાં પોલીસ પરેડનું નિરીક્ષણ, રાષ્ટ્રીય પર્વને અનુરૂપ સંબોધન અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. કોરોનાકાળ પછીના રાષ્ટ્રીય પર્વે મુખ્ય મથકે ઉજવણી થતી હતી ત્યારે હવે ફરી ગામડાના છેવાડાના લોકો પણ સહયોગી બની રાષ્ટ્રીય તહેવાર ઉજવે માટે ગામડામાં ઉજવણી કરવામાં આવશે.

- text