કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે પ્રાકૃતિક ખેતી અંગે સેમિનાર યોજાયો

- text


મોરબીઃ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે આજ રોજ તારીખ 4 જાન્યુઆરીના રોજ પ્રાકૃતિક ખેતી અંગેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં સુરેન્દ્રનગર આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર બી. એ. પટેલે પ્રાકૃતિક ખેતી હાલના સમયમાં શા માટે જરૂરી છે અને પ્રાકૃતિક ખેતી કરવાથી ખેડૂતનો ખર્ચ કઈ રીતે ઘટે તે અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કેન્દ્રના વડા ડો. જીવાનીએ રાસાયણિક ખેતીની પર્યાવરણ પર થતી આડ અસર વિશે માહિતી આપી હતી. જ્યારે આ કેન્દ્રના વૈજ્ઞાનિક ડી. એ. સરડવાએ પ્રાકૃતિક ખેતીમાં રોગ જીવાંત નિયંત્રણ વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ સેમિનારનું સફળ સંચાલન આ કેન્દ્રના અધિકારી ડો. વડારિયા, ગમનસિંહ ઝાલા અને નિલેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આભાર વિધિ ગોધાની સાહેબ દ્વારા કરવામાં આવી હતી.

- text

- text