અંબાજી સેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 14 માર્ચે જામનગરમાં યોજાશે સર્વ જ્ઞાતિ સમૂહલગ્ન

- text


મોરબી : અંબાજી સેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ, નવનિર્માણ કામધેનુ ગૌશાળા અને વૃદ્ધાશ્રમ દ્વારા કામધેનુ ગૌશાળાના નવનિર્માણના લાભાર્થે સર્વે જ્ઞાતિ સમૂહ લગ્નનું જામનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 14 માર્ચ, 2023 ને મંગળવારના રોજ 13મો જાજરમાન સમૂહ લગ્નોત્સવ યોજાશે.

અંબાજી સેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્માણ કરવામાં આવી રહેલી કામધેનુ ગૌશાળા અને વૃદ્ધાશ્રમના લાભાર્થે 14 માર્ચ, 2023 ને મંગળવારના રોજ જામનગર હાપા ખાતે રેલવે સ્ટેશન રોડ પર આવેલી યોગેશ્વરધામ સોસાયટી ખાતેના દ્વારકેશ મેરેજ હોલ ખાતે આ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન યોજાશે. આ સમૂહ લગ્નોત્સવમાં અનેક મહાનુભાવો, સંતો-મહંતો ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વાદ આપશે. સમહૂલ લગ્નમાં ફોર્મ ભરવા માટે ઋત્વિકભાઈ રામાનુજ (મો.નં. 9699750075) અથવા સુરેશભાઈ જોષી (મો.નં. 7574095066) પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

આ સમૂહ લગ્ન સમારોહમાં દીકરીના કરિયાવર તથા ગૌશાળાના નવનિર્માણમાં તન-મન-ધનથી સાથ સહકાર આપવા ઈચ્છતા લોકોએ સંપર્ક કરવા જણાવાયું છે.

- text