ટંકારામાં ઉગમણા નાકે પ્રવેશદ્વાર ધરાશયી, કોઈ જાનહાની નહીં

- text


ટંકારા : ટંકારા શહેરના ઉગમણા નાકે બનાવવામાં આવેલ પ્રવેશદ્વાર આજે અચાનક તૂટી પડ્યો હતો. જો કે આ દુર્ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા શહેરના ઉગમણા નાકે આવેલ પ્રવેશ દ્વાર આજે બપોરના સમયે અચાનક જ તૂટી પડતા લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી. જો કે સદભાગ્યે દુર્ઘટના સમયે કોઈ વાહન કે લોકોની અવરજવર ન હોવાથી કોઈ જાનહાની સર્જાઈ ન હતી.

- text

- text