મોરબીના વિકાસ વિધાલયના મેનેજર ભરતભાઈ નિમાવતનો જીવનદીપ બુઝાયો, ગુરુવારે બેસણું

- text


 

વર્ષોથી વિકાસ વિદ્યાલયમાં અનાથ દીકરીઓનું પિતા બનીને લાલન પાલન અને શિક્ષણ તેમજ ઘરસંસાર બંધાવવાની જવાબદારી નિભાવતા ભરતભાઇને દેહવિલયથી ભારે શોક

મોરબી : મોરબીના વિકાસ વિધાલયના મેનેજર ભરતભાઈ નિમાવતનો જીવનદીપ બુઝાયો છે. વર્ષોથી વિકાસ વિદ્યાલયમાં અનાથ દીકરીઓનું પિતા બનીને લાલન પાલન અને શિક્ષણ તેમજ ઘરસંસાર બંધાવવાની જવાબદારી નિભાવતા ભરતભાઇને દેહવિલયથી ભારે શોક વ્યાપી ગયો છે. પિતા જેવી હૂંફ પુરી પાડનાર આ સેવભાવીના નિધનથી વિકાસ વિધાલયની દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવ્યાના આઘાતથી રડી પડી હતી.

- text

વિકાસ વિધાલયના મેનેજર ભરતભાઇ છગનલાલ નિમાવતનું દુઃખદ અવસાન થયું છે. જેમાં ભરતભાઈ છગનલાલ નિમાવત (ઉ.વ.66) (શ્રી રામ પાન ડિપો) (મેનેજર, વિકાસ વિદ્યાલય મોરબી) તે કવિશ્રી બિપિન મધુર (મનુભાઈ) ના નાના ભાઈ તથા ચંદુભાઈ, કિશોરભાઈ, રાજુભાઇ, હકાભાઇ, સુખભાઈ અને સુધાબેન પંકજકુમાર તથા સ્વ. અરુણાબેન સુરજરામના ભાઈ તેમજ મેઘાબેન સંજયકુમાર, નિનાદ (કાનો) અને આનંદના પિતાશ્રી તા. 04-12-2022 ને રવિવારે શ્રીરામ ચરણ પામેલ છે. સદગતનું બેસણું તા. 08-12-2022 ને ગુરુવારે સાંજે 4 થી 5 : 30 કલાકે શ્રી રામ મહેલ મંદિર, દરબારગઢ મોરબી ખાતે રાખેલ છે.

- text