કાંતિલાલના આજથી જ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ : રાત્રે તેમના વતન જેતપરમાં વિરાટ જનસભાનું આયોજન

- text


મોરબી : મોરબીમાં ભાજપ દ્વારા ભારે સસ્પેન્સ બાદ ભાજપના દિગ્ગજ અને જૂના જોગી કાંતિલાલ અમૃતિયાને ઉમેદવાર જાહેર કર્યા છે. આજે 10 તારીખે ભાજપે તેમને ઉમેદવાર જાહેર કરતાની સાથે જ કાંતિલાલ અમૃતિયાએ તેમના ચૂંટણી પ્રચારનું બ્યુગ્લ તેમનાં વતન જેતપર ગામેથી ફૂકવાની જાહેરાત કરી છે.

કાંતિલાલ અમૃતિયાને મોરબી બેઠકના ભાજપના ઉમેદવાર જાહેર કરતાની સાથે આજથી જ ચૂંટણી પ્રસારના શ્રી ગણેશ કરી દીધા છે. અને આજે તારીખ 10ના રોજ રાત્રે 8 વાગ્યે તેમના વતન જેતપર ગામે એક વિરાટ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જેતપર ગામ સહિત આજુબાજુના ગામના લોકોને ઉપસ્થિત રેહવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text