- text
NDRF, SDRF, SRP ઉપરાંત અન્ય શહેરોની ફાયર બ્રિગેડની ટીમો પણ બચાવ કાર્યમાં જોડાશે
મોરબી : મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં બચાવ કાર્યમાં સરકારે તમામ તાકાત લગાડી છે. બચાવ કાર્ય માટે નેવી અને એરફોર્સની ટિમો પણ આપી છે. આ ઉપરાંત NDRF, SDRF, SRP અને અન્ય શહેરોની ફાયર બ્રિગેડની ટીમો પણ બચાવ કાર્યમાં જોડાશે.
મોરબીમાં સર્જાયેલી દુર્ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા બચાવ રાહત કામગીરી વધુ વેગવાન બનાવવામા આવી છે. આ હેતુસર એન.ડી.આર.એફની 3 પ્લાટુન ઇન્ડિયન નેવીના 50 જવાનો અને એરફોર્સના 30 જવાનો આર્મી જવાનોની બે કોલમ તેમજ ફાયર બ્રિગેડની 7 ટીમ રાજકોટ, જામનગર,દીવ અને સુરેન્દ્રનગર થી અદ્યતન સાધનો સાથે મોરબી જવા માટે રવાના થયા છે.
- text
એસ.ડી.આર.એફની 3 તેમજ એસ આર પી.ની બે પ્લાટુન પણ બચાવ રાહત કામગીરી માટે મોરબી પહોંચી રહી છે. આ ઉપરાંત રાજકોટ સીવીલ હોસ્પિટલમા એક અલાયદો વોર્ડ પણ સારવાર માટે ઊભો કરવામાં આવ્યો છે.
- text