મોરબીઃ બુનિયાદી કન્યા શાળાના આચાર્યનો વિદાય સમારોહ યોજાયો

- text


મોરબીઃ તારીખ 1 ઓક્ટોબરના રોજ બુનિયાદી કન્યા શાળાના આચાર્ય મહાદેવભાઈનો વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત મહેમાનો અને શિક્ષકોએ મહાદેવભાઈને ભાવભેર વિદાય આપીને શુભેચ્છાઓ પાઠવી હતી.

મહાદેવભાઈના વિદાય સમારોહમાં અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિડજા સાહેબ, કેળવણી નિરીક્ષક મનનભાઇ બુદ્ધદેવ, તાલુકા શાળા નં -1ના સી.આર.સી. રમેશભાઈ હુંબલ, મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દેવાયતભાઈ હેરભા, મહામંત્રી ચમનલાલ ડાભી, તાલુકા શાળા નં- 1 ના આચાર્ય પ્રતિમાબેન રાઠોડ, તાલુકા શાળા નં 2ના આચાર્ય નીલેશભાઈ કુંડારિયા, હાલના બુનિયાદી કન્યા શાળાના આચાર્ય મણિલાલ વિલપરા તેમજ તાલુકા શાળા નં 1ના તમામ શિક્ષકો અને બુનિયાદી કન્યા શાળાના તમામ શિક્ષક સ્ટાફ અને શાળાની બાળાઓએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને મહાદેવભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી.

- text

- text