જલારામ પ્રાર્થના મંદિરના અગ્રણીઓ દ્વારા કથાના ભવ્ય આયોજન બદલ કાંતિલાલ અમૃતિયાનુ સન્માન

- text


 

પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાને પણ શાલ અર્પણ કરી તેમના આશિર્વાદ મેળવતા અગ્રણીઓ

મોરબી : મોરબી પટેલ સમાજ વાડી-શક્ત શનાળા મુકામે કોરોનામાં મૃત્યુ પામનાર દીવંગત આત્માઓના મોક્ષાર્થે મોરબી-માળિયા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ અનેરુ આયોજન કરવામાં આવ્યુ છે.

જેમાં વ્યાસપીઠ પર પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા બિરાજમાન છે, જેમના શ્રીમુખે શ્રીમદ્ ભાગવત સપ્તાહનુ હજારો ભક્તજનો રસપાન કરી રહ્યા છે. ત્યારે મોરબી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, હસુભાઈ પુજારા, ચિરાગભાઈ રાચ્છ, રમણીકભાઈ ચંડીભમર, કીશોરભાઈ ઘેલાણી તથા જયેશભાઈ રૂપારેલ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ ના સફળ આયોજન બદલ પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનુ શાલ ઓઢાળી અભિવાદન કરવામાં આવ્યુ હતુ તેમજ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાને શાલ અર્પણ કરી તેમના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના કાળ દરમિયાન મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા એક લાખ થી વધુ ફુડપેકેટ વિતરણ, ઓક્સિજન બોટલ સેવા, નેબ્યુલાઈઝર સેવા, ઓક્સિમિટર સેવા, એમ્બ્યુલન્સ સેવા, શબવાહિની સેવા, અંતિમયાત્રા બસ, આયુર્વેદીક દવાઓનુ વિતરણ, હોમ આઈસોલેટ દર્દીઓ માટે ડોક્ટર ની સેવા સહીત ની વિવિધ સેવાઓ પ્રદાન કરવા માં આવી હતી. આ તકે કાંતિલાલ અમૃતિયા તથા પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા મોરબી જલારામ મંદિરની સેવાને બિરદાવવામાં આવી હતી. તેમ જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિતભાઈ કક્કડની યાદીમાં જણાવાયું છે.

- text

- text