વાંકાનેર મામાના ઘેર આવેલ ભાણેજને ઝેરી જનાવર કરડી જતા મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભલગામ નજીક વાડી વિસ્તારમાં રહેતા મામાના ઘેર આવેલી ત્રણ વર્ષની માસૂમ ભાણેજને ઝેરી જનાવર કરડી જતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ભલગામ નજીક વાડી વિસ્તારમાં લાખાભાઇ ભરવાડની વાડીમા રહેતા ગોપાલભાઇ માનસીંગભાઇ પરમારના ઘેર ગાંધીનગરથી તેમની ભાણેજ અર્પિતા જેસીંગભાઇ સોલંકી ઉ.3 આવી હતી ત્યારે વાડીમાં ઝેરી જનાવર કરડી જતા રાજકોટ સારવાર દરમિયાન અર્પિતાનું મૃત્યુ નીપજ્યું હતું.

- text

- text