મોરબી પરસોતમ ચોક ઉત્સવ સમિતિ અને રાધાકૃષ્ણ મંદિર ટ્રસ્ટ દ્વારા કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે

- text


મોરબી : મોરબી પરસોતમ ચોક ઉત્સવ સમિતિ અને રાધાકૃષ્ણ મંદિર ટ્રસ્ટ દ્વારા જન્માષ્ઠમી નિમિતે તા.૧૯ને શુક્રવારના રોજ રાત્રે ૯ થી ૧૨ વાગ્યા સુધી છપ્પન ભોગ,રાત્રે ૧૨ વાગ્યે કૃષ્ણ જન્મોત્સવ તેમજ રાત્રે ૧૦ કલાકે ધુન ભજનનો કાર્યક્રમ રાધા કૃષ્ણ મંદિર,પરસોતમ ચોક,મોરબી રાખવામાં આવ્યો છે.

છપ્પન ભોગ પ્રસાદમાં જે ભક્તો પોતાનો પ્રસાદ મૂકવા માંગતા હોય તે રાત્રે ૯ વાગ્યા સુધીમાં પ્રસાદ મંદિરે પહોચાડી આપે. જે લોકો પોતાના બાળકને કાનુડો બનાવા ઇચ્છતા હોય તેઓ કાનુડો બનાવી સ્થળે લઈ આવી શકશે

- text

- text