મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રખડતા ગૌવંશનું રસીકરણ અભિયાન હાથ ધરાયું

- text


મોરબી, માળીયા અને હળવદ હાલ રસીકરણ ચાલુ, હવે પછી વાંકાનેરમાં પણ રખડતા ઢોરનું રસીકરણ કરાશે

મોરબી : મોરબીમાં લંપી વાયરસના કહેરથી ગૌવંશને બચાવવા માટે યંગ ઇન્ડિયા ગ્રુપ આગળ આવીને ખાસ કરીને શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા ગૌવંશ હોય જેનું રસીકરણ ન થતું હોય તે માટે ઉમદા પહેલ કરીને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રખડતા ગૌવંશનું રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મોરબી, માળીયા અને હળવદ હાલ રસીકરણ ચાલુ, હવે પછી વાંકાનેરમાં પણ રખડતા ઢોરનું રસીકરણ કરાશે.

મોરબીમાં હર હમેશ દરેક આપતિ વખતે અસરગ્રસ્તોને મદદરૂપ થવા સક્રિય રહેતા અને સેવા પરમો ધર્મ તેમજ માનવતા અને રાષ્ટ્પ્રેમને વરેલા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા લંપી વાયરસના કહેરથી પશુઓને બચાવવા માટે રસીકરણનું સરાહનીય અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી યંગ ઇન્ડિયા ગ્રુપની ટીમ દ્વારા ખાસ કરીને આ ચેપી વાયરસ ન ફેલાય તે માટે શહેરમાં જાહેરમાં રોડ રસ્તા અને શેરી ગલીમાં રખડતા ગૌવંશને રસીકરણ કરવામાં આવ્યું છે. મોરબીમાં આવા ઘણા ગૌવંશને રસીકરણ કરવામાં આવ્યું છે અને અનેક રખડતા પશુઓને રસીકરણથી લંપી વાયરસ સામે રક્ષણ આપ્યું છે.

આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબીમાં અને હળવદ તેમજ માળીયામાં હાલ તો રસીકરણ ચાલુ જ છે. પણ હવે વાંકાનેર પંથકમાં પણ નધણીયાત ગૌવંશનું રસીકરણ હાથ ધરાશે. કોઈપણ પશુ રસીકરણથી બાકી રહી ગયું હોય તો દિલીપભાઈ- 8000827577 અને સંજયભાઈ- 8849070538નો સંપર્ક કરવો. તેમજ માલધારી સમાજ કોઈપણ પ્રકારની ગેરમાન્યતા કે અંધશ્રદ્ધાથી દોરાયા વગર પોતાના પશુનું રસીકરણ કરાવે તેવી ખાસ તેમણે અપીલ કરી છે.

- text

- text