રાજ્ય તલાટી મહામંડળના પ્રમુખના જન્મદિવસે હળવદમાં કરાયું વૃક્ષારોપણ

- text


હળવદ : ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના પ્રમુખના જન્મદિવસ નિમિત્તે મોરબી જિલ્લા તલાટી મંડળ દ્વારા હળવદમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના પ્રમુખ પંકજભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે મોરબી જિલ્લા તલાટી મંડળ દ્વારા હળવદ તાલુકા પંચાયત ખાતે વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું.

જેમાં મોરબી જિલ્લા તલાટી મંડળના મહામંત્રી રવિભાઈ હુંબલ,ઉપપ્રમુખ યોગેશ પટેલ,પ્રવક્તા અશ્વિનભાઈ ચાવડા, માળિયા પ્રમુખ વિશાલ ડાંગર, રાજ્ય પ્રતિનિધિ બલભદ્રસિંહ ઝાલા,વિમલભાઈ ચંદ્રાલા તથા હળવદ તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ અમિત કૈલા,મહામંત્રી સાગર વરસડા તથા જિલ્લાના તમામ તલાટી મિત્રો સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

- text

- text