હળવદમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

- text


મામલતદાર કચેરી હળવદ દ્વારા હેલન કેલર ડે નિમિતે કાર્યક્રમનું આયોજન કરાયું

હળવદ : મામલતદાર કચેરી હળવદ દ્વારા હેલન કેલર ડે નિમિતે નવજીવન વિકલાંગ સેવાશ્રયમાં દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મતદાર નોંધણી અંગે માહિતી પૂરું પાડવામાં આવી હતી.

હેલન કેલર ડે ની ઉજવણીના ભાગરૂપે મામલતદાર કચેરી હળવદ દ્વારા નવજીવન વિકલાંગ સેવાશ્રય હળવદ સંસ્થા ખાતે દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આ પ્રસંગે ઉપસ્થિત રહેનાર હળવદ મામલતદાર એન.એસ.ભાટી,નાયબ મામલતદાર એમ.એસ.સીંગલ તથા એ.જી. સુરાણી હાજર રહ્યા હતા.આ પ્રસંગે દિવ્યાંગ મતદાર નોંધણી, PWD ACT -2016ની જાણકારી તેમજ PWD APPની માહિતી આપવામાં આવી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નવજીવન વિકલાંગ સેવાશ્રયના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

- text

- text