મોરબી બ્રહ્મા કુમારીઝ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

- text


સંસ્થાનાના કાર્યકરો સહિતના લોકોએ યોગ-પ્રાણાયામ કરીને મન તંદુરસ્તી મેળવી

મોરબી :મોરબીની બ્રહ્મા કુમારીઝ સંસ્થા દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને સંસ્થાનાના કાર્યકરો સહિતના લોકોએ યોગ-પ્રાણાયામ કરીને તન – મનની તંદુરસ્તી મેળવી હતી.

- text

મોરબીની બ્રહ્મા કુમારીઝ સંસ્થા દ્વારા આજે યોગ દિવસ નિમિત્તે ખાસ યોગ તેમજ રાજયોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યોગથી તન,મન તંદુરસ્ત રહેતું હોય તેમજ પરમ શાંતિની અનુભૂતિ થતી હોય અને યોગ નિત્ય રીતે કરવાથી માનસિક સ્વસ્થતા પ્રાપ્ત થતી હોવાની સમજણ આપી આ સંસ્થાના બી.કે. ડો. ભૂમિ ઝાલરીયાએ લોકોને યોગ, કસરત, વ્યાયામ કરાવી માનસિક શાંતિ માટે દરરોજ યોગ કરવા ઉપર ભાર મુક્યો હતો. તેમજ સંસ્થાના વરિષ્ઠ રાજયોગીની અલકાબેન, નિમિષાબેન, જુલીબેન, જિજ્ઞાબેન સહિતનાએ લોકોને ગહન મેડિટેશન કરાવ્યું હતું.

- text