હળવદના બ્રાહ્મણી-૨ ડેમમાં ડુબી ગયેલ તરૂણની લાશ મળી

- text


ભારે શોધખોળ બાદ મૃતદેહને ડેમમાં થી બહાર કઢાયો

હળવદ : આજે બપોરના હળવદ તાલુકાના સૂર્યનગર ગામ નજીક આવેલ બ્રાહ્મણી-૨ ડેમમા એક 14 વર્ષનો તરુણ ડૂબી ગયો હતો જેની ભારે શોધખોળ બાદ લાશને બહાર કાઢવામાં આવી હતી

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ આજે બપોરના હળવદ તાલુકાના સુર્યનગર ગામ નજીક આવેલ બ્રાહ્મણી-2 ડેમના કાંઠે જામનગર ખાતે રહેતા રાજકુમાર અશોકભાઈ પંડ્યા ઉંમર વર્ષ 14 કે જેઓના મામાના થોડા સમય પહેલાં જ લગ્ન થયાં હોય જેથી તેમના કુળદેવી માતાજી ના મંદિરે હળવદ પરિવારજનો સાથે ભાણેજ છેડાછેડી છોડવા માટે આવી રહ્યા હતા ત્યારે સૂર્યનગર ગામ નજીક બ્રાહ્મણી ડેમના કાંઠે હાથ પગ ધોવા ઉભા રહ્યા હતા

- text

આ વેળાએ ડેમમાંથી ઇલેક્ટ્રિક મોટર થી પાણી ઉપાડવામાં આવતું હોય જેથી રાજને શોર્ટ લાગતા ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો જેથી બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા તરવૈયાની ટીમ દ્વારા ભારે સોધખોણ બાદ રાજના મૃતદેહને ડેમમાં થી બહાર કાઢવામાં આવ્યો હતો મૃતકની લાશને પી.એમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવી છે.

- text