- text
મોરબી : વાંકાનેરના વઘાસિયા ગામે અનુ.જાતિના પિતા-પુત્ર ઉપર હુમલાની ઘટનામાં ન્યાયિક તપાસની માંગ સાથે જિલ્લા પોલીસ વડાને આવેદન પાઠવવામાં આવ્યું છે.
આવેદનમાં જણાવાયું હતું કે ગત તા.18ના રોજ વાંકાનેરના વઘાસિયા ગામે દિલીપભાઈ વાઢેર અને તેમના પિતા કરશનભાઈ વાઢેર ઉપર ટોળાએ બબ્બે વખત હોસ્પિટલ સહિતના સ્થળોએ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. હજુ પણ હુમલાનો ભય સતાવતો હોય, પોલીસ પ્રોટેક્શન આપવાની માંગ છે. વધુમાં આવેદનમાં આક્ષેપ કરાયો હતો કે એસસી એસટી સેલના ડિવાયએસપી યોગ્ય તપાસ ન કરતા હોય આ તપાસ બીજા અધિકારીને સોંપવામાં આવે તેવી માંગ છે.
- text
- text