મોરબીમાં યુવતી અને વાંકાનેરમાં પરિણીતા ગુમ

- text


મોરબી કુબેરનગરની યુવતી પરિવારજનોને કહ્યા વગર લાપતા બની અને વાંકાનેરમાં પરિણીતા જન્મતારીખનો દાખલો લેવા જવાનું કહી ગાયબ

મોરબી : મોરબી શહેરના કુબેરનગરમાંથી યુવતી કોઈને કહ્યા વગર લાપતા બની ગઈ છે અને વાંકાનેરની પરિણીતા પોતાના ઘેરથી દીકરીના જન્મતારીખના દાખલામાં સુધારો કરાવવાનું કહીને નીકળ્યા બાદ લાપતા બનતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ત્રીલોકધામ મંદીરની સામે કુબેરનગર-1માં રહેતા ભીખાભાઇ અવચરભાઇ થરેસાની 19 વર્ષની પુત્રી સેજલબેન ગત તા.21ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસ્સામા કોઇને કહ્યા વગર ઘેરથી જતી રહેતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરાવવામાં આવી છે.ગુમ થનાર સેજલબેન ઘઉવર્ણી પાતળા બાંધાની અને ઉંચાઇ આશરે 5 ફુટ જેટલી છે. જો કોઈને સેજલબેન અંગે જાણકારી હોય તો નજીકના પોલીસ મથકે જાણ કરવા જણાવાયું છે.

- text

જયારે બીજા કિસ્સામાં વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે રહેતા દેવરાજભાઇ બધાભાઇ કોંઢીયાએ ગુમસુધા નોંધ લખાવતા જાહેર કર્યું છે કે, તેમની પુત્રી
સંગીતા ઉર્ફે રાધા નિતેશભાઇ દેલવાણીયા, ઉ.28 ગત તા.6 એપ્રિલના રોજ પોતાની દીકરીના જન્મ તારીખના દાખલામાં સુધારો કરાવવા માટે વાંકાનેર નગરપાલિકાએ જવાનું કહી આજદિન સુધી પરત ન આવતા ગુમસુધા નોંધ કરાવી છે.સંગીતા ઉર્ફે રાધા પાતળા બાંધાની વાને ઘઉં વર્ણની છે. તેના હોઠ ઉપર કાળા તલનુ નિશાન છે. ઉંચાઇ આશરે પાંચ ફુટ જેટલી છે જો કોઈને ઉપરોક્ત વર્ણન વાળા બહેન અંગે જાણકારી મળે તો નજીકના પોલીસ મથકે જાણ કરવા અનુરોધ કરાયો છે.

- text