મોરબીમાં આજે વિચરતી-વિમુક્ત જાતિનું માર્ગદર્શન સંમેલન

- text


મોરબી : આજે રવિવારે વિચરતી-વિમુક્ત જાતિનું માર્ગદર્શન સંમેલન યોજાશે.જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારે વિકાસ માટે લીધેલ પગલાં તથા રાષ્ટ્રીય કલ્યાણ બોર્ડની કરેલી રચના અંગે તેમજ બજેટ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

- text

મોરબીમાં વિચરતી-વિમુક્ત જાતિનું માર્ગદર્શન સંમેલન આજે તા.24ને રવિવારના રોજ રાત્રે 8 કલાકે મોરબી ખાતે લાઇન્સ નગર, સરકારી સ્કૂલ પાછળ, શનાળા રોડ ખાતે રાત્રે 8 વાગ્યે ખાતે મળશે. જેમાં ગુજરાતની અતિ પછાત વિચરતી-વિમુક્ત જાતિઓના વિકાસ અંગે રાજ્ય અને કેન્દ્ર સરકારે વિકાસ માટે લીધેલ પગલાં તથા તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આઝાદીના 75 વર્ષે રાષ્ટ્રીય કલ્યાણ બોર્ડની કરેલી રચના અંગે તેમજ બજેટ અંગે વર્ષોથી એકધારી લડત ભાજપ DNT અગ્રણી લક્ષ્મણભાઇ કે.પટ્ટણી ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.આ સંમેલનમાં DNT જાતિના સક્રિય આગેવાનો પણ ઉપસ્થિત રહેશે.

- text