વાંકાનેરમાં અનુસૂચિત જાતિની પડતર જમીનની માંગણી અંગે મહારાણાની આગેવાનીમાં આવેદન

- text


અનુસૂચિત જાતિના આગેવાનોએ પ્રાંત અધિકારીને રૂબરૂ લેખિતમાં રજુઆત કરી

વાંકાનેર : સમાજના આગેવાનો સાથે અનુસૂચિત જાતિની પડતર જમીનની માંગણી અંગે પ્રાંત અધિકારી વાંકાનેરને રૂબરૂ મળી દલિત સમાજને ન્યાય મળે તે માટે આ પ્રશ્નોનું વહેલી તકે નિવારણ આવે એ માટે રજૂઆત કરવામાં આવી હતી.

ગત તા.25નાં રોજ વાંકાનેર ભારતીય જનતા પાર્ટીના અગ્રણી મહારાણા કેશરીસિંહદેવસિંહ ઝાલાની આગેવાની હેઠળ અનુસૂચિત જાતિના આગેવાનો સાથે અનુસૂચિત જાતિની પડતર જમીનની માંગણી અંગે પ્રાંત અધિકારી વાંકાનેરને રૂબરૂ મળી અનુસૂચિત જાતિને ન્યાય મળે તે માટે આ પ્રશ્નોનું વહેલી તકે ઘટતું કરી આપવા રજૂઆત કરી હતી. આ સાથે વાંકાનેર શહેર પ્રમુખ પરેશભાઈ માઢવી,તાલુકા મંત્રી હીરાભાઈ બાંભવા તથા અનુસુચિત જાતી મોરચાના પ્રમુખ મુકેશભાઈ સોલંકી મંત્રી દિનેશભાઈ વોરા,ફૌજી હેમુભાઈ ચાવડા માજી નગરપાલિકા સભ્ય શામજીભાઈ પરમાર,ભવાનભાઈ વોરા,વાઘજીભાઈ વોરા,રામજીભાઈ પરમાર,જે.ડી.સોલંકીએ વગેરે બહોળી સંખ્યામાં હાજર રહેલ હતા.

- text

- text