મોટીબરાર પ્રાથમિક શાળામાં પર્યાવરણ પરિવાર દ્વારા ચકલી ઘરનું વિતરણ કરાયું

- text


માળિયા : પર્યાવરણ પરિવાર દ્વારા મોટીબરાર પ્રાથમિક શાળામાં ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું.તથા વિદ્યાર્થીઓને ચકલી ઘર ક્યાં અને કેવી રીતે લગાવવા તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- text

વિદ્યાર્થીઓમાં બાળપણથી જ પક્ષીપ્રેમ જાગે અને સાથે પક્ષીઓને આશ્રય મળી રહે તેવા ઉમદા હેતુ માટે પર્યાવરણ પરિવાર દ્વારા માળિયા તાલુકાના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળામાં 100 જેટલા ચકલી ઘર વિતરણ કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં ઉપસ્થિત પર્યાવરણ પરિવારના સભ્ય રૂપેશ પરમાર (કવિ જલરૂપ) અને ધર્મિષ્ઠાબેન પરમાર દ્વારા વિદ્યાર્થીઓને ચકલી ઘર ક્યાં અને કેવી રીતે લગાવવા તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ તકે શાળાના આચાર્ય નિલેશભાઈ રાજપરા તેમજ શિક્ષક અનિલભાઈ બદ્રકિયા,વિનયભાઈ વાંક,રમેશભાઈ કાનગડ તેમજ દિક્ષિતાબેન મકવાણાએ પર્યાવરણ પરિવારનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો.

- text