લખધીરપુરમાં બુધવારે ત્રણ કલાકનો વીજકાપ

- text


 

મોરબી : મોરબી જિલ્લાના લખધીરપુરમાં બુધવારે વીજકાપ રહેશે. 66 કેવી લખધીરપુર સબસ્ટેશનમાં આગામી તા. 29ને બુધવારે સવારે 9થી 12 વાગ્યા દરમિયાન સબ સ્ટેશન તથા લાઇનનુ અગત્યનુ સમારકામ કરવાનું હોવાથી વીજ પુરવઠો મળી શકશે નહીં. કામ વહેલુ પુરુ થયે કોઇપણ પ્રકારની જાણ કર્યા સિવાય વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવશે. જેની નોંધ લેવા કાર્યપાલક ઇજનેર (પ્રવહન) વિભાગીય કચેરી મોરબીની યાદીમાં જણાવાયું છે.

- text