મોરબીમાં બંદૂકના નાળચે લૂંટ ચલાવનાર બે આરોપીઓની રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે

- text


 

 

મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર થોડા દિવસો પહેલા બે શખ્સોએ આંગડિયા પેઢીના કર્મચારીને માર મારી સરાજાહેર બંદૂકના નાળચે લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. આ આરોપીઓ પકડાયા બાદ કોર્ટે તેમના 6 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. આ રિમાન્ડ પૂર્ણ થતાં હવે તેઓને જેલહવાલે કરવામાં આવ્યા છે.

- text

મોરબીના રવાપર રોડ ઉપર બાપાસીતારામ ચોક નજીક લીલાલહેર પાસે થોડા દિવસો પહેલા ભરબપોરે ધોળે દહાડે નંબર પ્લેટ વગરના મોટર સાયકલ ઉપર ઘસી આવેલા જયદીપ ઉર્ફે લાલો ઉર્ફે શક્તિ નાનજીભાઈ પટેલ અને સંદીપ ઉર્ફે સેન્ડી શ્યામ બહાદુરસિંગ રાજપૂતે વસંતભાઈ ગંગારામભાઈ બાવરવા નામના આંગડિયા પેઢીના કર્મચારીને આંતરી બંદૂકના નાળચે લૂંટ ચલાવી હતી. આ બન્ને આરોપીઓને દિલ્હી ખાતેથી ઝડપી લેવામાં આવ્યા હતા. બાદમાં કોર્ટે બન્ને આરોપીઓના છ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. આ રિમાન્ડ આજરોજ પૂર્ણ થતાં તેઓને જેલહવાલે કરવામાં આવ્યા છે.

- text